મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન


SHARE











મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન

મોરબીના ચાંચાપર ગામે આવેલ પોલિપેકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોટસર્કીટથી આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચાંચાપર ગામની સીમમાં આવેલા શિવા પોલિપેક નામના કારખાના અંદર ત્રણ કંટ્રોલ પેનલ એકબીજા સાથે એટેચ હતી દરમ્યાનમાં એક કંટ્રોલ પેનલમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખો રૂપિયાની નુકશાની થઇ હોય તે સંદર્ભે હિતેષ રમેશભાઈ નાકરાણી (૪૦) રહે.શ્રીમદ સોસાયટી મુનનગર પાછળ પંચાસરરોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા તાલુકા પોલીસે નોંધ કરીને આગના બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત

મોરબીના અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત નિપજયુ હતુ.અણીયારી ગામ પાસે આવેલ ડીવી કોલ નજીકથી રાજસ્થાની યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલા શાહપુરના વતની આસુતોષ ઘીસાલાલ શર્મા નામના ૩૩ વર્ષીય રાજસ્થાની યુવાનનો ડીવી કોલ નામના કારખાના પાસે અણિયારી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે આશુતોષ શર્માં પોતાના મિત્રની સાથે ટ્રકમાં બેસીને રાજસ્થાનથી ફરવા માટે મોરબી આવ્યો અને તેને પરત રાજસ્થાન જવું હતું અને તે રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન કોઇ કારણોસર મોરબીના અણીયારી ગામ પાસે આવેલા ડીવી કોલ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળક સારવારમાં 

મોરબી નજીકના બગથળા ગામે બાઇકમાં નાના રામજી મંદિર નજીકથી જઈ રહેલ બાઇકમાંથી પડી જવાથી જીલ હાર્દિકભાઇ જોશી નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા ગાંધીધામ તરફથી ટ્રક લઈને આવી રહેલા મરકીસિંગ બલવિંદરસિંગ નામના ૩૦ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News