મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન


SHARE













મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન

મોરબીના ચાંચાપર ગામે આવેલ પોલિપેકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોટસર્કીટથી આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચાંચાપર ગામની સીમમાં આવેલા શિવા પોલિપેક નામના કારખાના અંદર ત્રણ કંટ્રોલ પેનલ એકબીજા સાથે એટેચ હતી દરમ્યાનમાં એક કંટ્રોલ પેનલમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખો રૂપિયાની નુકશાની થઇ હોય તે સંદર્ભે હિતેષ રમેશભાઈ નાકરાણી (૪૦) રહે.શ્રીમદ સોસાયટી મુનનગર પાછળ પંચાસરરોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા તાલુકા પોલીસે નોંધ કરીને આગના બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત

મોરબીના અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત નિપજયુ હતુ.અણીયારી ગામ પાસે આવેલ ડીવી કોલ નજીકથી રાજસ્થાની યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલા શાહપુરના વતની આસુતોષ ઘીસાલાલ શર્મા નામના ૩૩ વર્ષીય રાજસ્થાની યુવાનનો ડીવી કોલ નામના કારખાના પાસે અણિયારી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે આશુતોષ શર્માં પોતાના મિત્રની સાથે ટ્રકમાં બેસીને રાજસ્થાનથી ફરવા માટે મોરબી આવ્યો અને તેને પરત રાજસ્થાન જવું હતું અને તે રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન કોઇ કારણોસર મોરબીના અણીયારી ગામ પાસે આવેલા ડીવી કોલ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળક સારવારમાં 

મોરબી નજીકના બગથળા ગામે બાઇકમાં નાના રામજી મંદિર નજીકથી જઈ રહેલ બાઇકમાંથી પડી જવાથી જીલ હાર્દિકભાઇ જોશી નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા ગાંધીધામ તરફથી ટ્રક લઈને આવી રહેલા મરકીસિંગ બલવિંદરસિંગ નામના ૩૦ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News