મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા


SHARE











મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

મોરબીમાં શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી જીલ્લા વાલ્મીકિ સમુહ લગ્ન સેવા સમિતિ દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વાલ્મીકિ  સમાજની ૧૪ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું આ સમૂહલગ્નમાં જોડાયેલ ૧૪ દિકરીઓને ડૉ. સતિષભાઈ પટેલ લિખીત બાળ ઉછેર મુઠ્ઠીમા ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડૉ. જયંતીભાઈ એસ.ભાડેસિઆ તરફથી આપવામાં આવી હતી આ સમુહલગ્નમાં મંડપના દાતા જયંતિભાઈ રાજકોટીયા, લાઈટના દાતા પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા તેમજ ભોજનના  મુખ્યદાતા નવયુગ સ્કૂલના પ્રમુખ પી.ડી. કાજીયા હતા અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરિશભાઈ બોપલીયા, મુકેશભાઈ કુંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને સમગ્ર વાલ્મીકિ સમાજનું  ગૌરવ જુનાગઢ મહાનગર પાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ બોટાદ ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજા, વિપુલભાઈ અઘારા, મહેશભાઈ બોપલીયા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી  નિકુંજભાઈ કોટક, ડૉ. જયદિપભાઇ કંજારીયા, રમેશભાઈ પંડ્યા, કબીર આશ્રમના મહંત સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેલ હતા અને જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જયદિપભાઇ વાસદડિયા તરફથી પણ આયોજકોને મદદ મળી હતી તેવું બકુલભાઈ પઠાણ અને સુભાષભાઈ પુરબીયાએ જણાવ્યુ છે






Latest News