મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત


SHARE











હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત

હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી-૨ ડેમમા ૧૪ વર્ષનો તરુણ ડૂબી ગયો હતો જેની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓએ સ્થળ ઉપર પહોચીને પાણીમાં બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને પાણીમાંથી બાળકની લાશને બહાર કાઢીને પીએમ માટે હળવદ ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે જામનગર ખાતે રહેતો રાજકુમાર અશોકભાઈ પંડ્યા (૧૪) કે જે તેના મામા અને પરિવારજનોની સાથે કુળદેવી માતાજીના મંદિરે છેડાછેડી છોડવા માટે આવી રહ્યો હતો તે સૂર્યનગર નજીક બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે હાથ પગ ધોવા ઊભો હતો ત્યારે અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને ફાયરની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ભારે મહેનતના અંતે તરવૈયાની ટીમે બાળકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો અને પીએમ માટે મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News