મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓને સગવડ પડે તેવી વ્યવસ્થા અધિકારી દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૩૦ ના રોજ મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ ખાતે, તા.૪ ના રોજ હળવદની રાજોધરજી હાઇસ્કુલ, વાંકાનેરની મહોમદી લોકશાળા-ચંદ્રપુર, ટંકારાની એસ.પી.દોશી વિદ્યાલય અને માળિયાની કે.પી. હોથી હાઇસ્કુલ-સરવડ ખાતે પણ સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં તજજ્ઞનું માર્ગદર્શન આપશે ત્યાર બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું સેશન પણ રાખવામા આવ્યું છે

શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞ

મોરબીના પરસોત્તમ ચોક મંદિર ખાતે આવેલા શનિદેવના મંદિરે વૈશાખ વદ અમાસને તા. ૩૦ મે ને સોમવારના રોજ શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૯:૩૦ કલાકે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે






Latest News