મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત


SHARE











 

મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત

મોરબી અને માળીયામાં નર્મદા કેનાલ આવે છે જો કે, હાલમાં તેમાં પાણી છોડવામાં આવેલ નથી જેથી કરીને રાજ્ય મંત્રી સહિતના આગેવાનો દ્વારા સિંચાઇ મંત્રીને રજુઆત કરવામાં આવી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ છે કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવા માટે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને ધ્યાન દોરેલ હતું. એટલુ જ નહિ પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પણ ખેડૂતોની આજીવિકાના હાલના પ્રાણ પ્રશ્ન એવા નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગેની બાબતને ધ્યાને મૂકી હતી.






Latest News