મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !


SHARE











મોરબીના વીસીપરા, રોહિદાસપરાવિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !

મોરબીના લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવાની જવાબદારી પાલિકાની છે જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે આજની તારીખે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે જેમાં વિસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને અહી પાલિકા દ્વારા દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીજન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે


મોરબીના વીસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં પીવા અને વાપરવા માટે પાલિકાની પાઇપ લાઇન મારફતે દૂષિત પાણી આપવામાં આવી રહયું છે અને આ વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ શરૂ ન હોવાથી દરેક પરિવારને વેચાતું પાણી લેવું પોસાઈ તેમ નથી અને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી જેથી કરીને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News