મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !


SHARE







મોરબીના વીસીપરા, રોહિદાસપરાવિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !

મોરબીના લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવાની જવાબદારી પાલિકાની છે જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે આજની તારીખે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે જેમાં વિસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને અહી પાલિકા દ્વારા દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીજન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે


મોરબીના વીસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં પીવા અને વાપરવા માટે પાલિકાની પાઇપ લાઇન મારફતે દૂષિત પાણી આપવામાં આવી રહયું છે અને આ વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ શરૂ ન હોવાથી દરેક પરિવારને વેચાતું પાણી લેવું પોસાઈ તેમ નથી અને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી જેથી કરીને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News