મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત


SHARE











 મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઉચી માંડલ ગામ પાસેના સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એરોન સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે લેબર કવાટરમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજતાં ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવ અકસ્માતે મોતનો જ છે કે અન્ય કોઇ બાબત છે તે દીશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકવીલ સિરામીક નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાજુસિંગ સુબેરસિંગ ગુર્જર નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ રોડ ઉપર મારામારીમાં ઇજાઓ થઈ હતી જ્યાં માર માર્યા બાદ તેને ગાડીમાં બેસાડીને શનાળા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ શનાળા ગામ પાસે માર મારીને ઉતારી દેવામાં આવ્યો હતો..?! આ મારામારીનાં બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસમાં જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના સોમનાથ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા હંસાબેન ભાવેશભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News