મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત


SHARE











 મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઉચી માંડલ ગામ પાસેના સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એરોન સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે લેબર કવાટરમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજતાં ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવ અકસ્માતે મોતનો જ છે કે અન્ય કોઇ બાબત છે તે દીશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકવીલ સિરામીક નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાજુસિંગ સુબેરસિંગ ગુર્જર નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ રોડ ઉપર મારામારીમાં ઇજાઓ થઈ હતી જ્યાં માર માર્યા બાદ તેને ગાડીમાં બેસાડીને શનાળા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ શનાળા ગામ પાસે માર મારીને ઉતારી દેવામાં આવ્યો હતો..?! આ મારામારીનાં બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસમાં જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના સોમનાથ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા હંસાબેન ભાવેશભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News