મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત


SHARE







 મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઉચી માંડલ ગામ પાસેના સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એરોન સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે લેબર કવાટરમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજતાં ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવ અકસ્માતે મોતનો જ છે કે અન્ય કોઇ બાબત છે તે દીશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકવીલ સિરામીક નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાજુસિંગ સુબેરસિંગ ગુર્જર નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ રોડ ઉપર મારામારીમાં ઇજાઓ થઈ હતી જ્યાં માર માર્યા બાદ તેને ગાડીમાં બેસાડીને શનાળા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ શનાળા ગામ પાસે માર મારીને ઉતારી દેવામાં આવ્યો હતો..?! આ મારામારીનાં બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસમાં જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના સોમનાથ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા હંસાબેન ભાવેશભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News