મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત

મોરબીના મચ્છુ-૨ ડેમના કમાન્ડ વિસ્તાર અને નર્મદની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયાના ખેડૂતોને ચોમાસુ વાવેતર માટે પાણી મળે તે જરૂરી છે જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેના માટે માજી ધારાસભ્યએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સીએમને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે અલગ અલગ ડેમ અને નર્મદા યોજનાની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આવી જ રીતે આગામી ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જો સમયસર ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તો તેની ઉપજ અને આવકમાં પણ વધારો થશે






Latest News