હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?


SHARE











મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?

મોરબી-રાજકોટ વચ્ચે દરરોજ નિયમીત ચાલતી ઇન્ટરસીટી બસ ઉપરથી એટલે કે જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરો માટે જગ્યા મળતી નથી જે બાબતે યોગ્ય કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરોને લઇને નવા બસ સ્ટેન્ડે આવે છે ત્યારે નવા બસ સ્ટેન્ડથી બસમાં બેસવા માટે કે ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.કારણ કે જુના બસ સ્ટેન્ડથી જ જગ્યા ભરાઇ જાય છે.મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની આસપાસ અનેક સોસાયટીઓ આવેલ હોવાથી વસ્તી પણ પ્રમાણમાં ઘણી વધુ છે.તે ઉપરાંત દરરોજ અપડાઉન કરતા વિદ્યાથીઓ, ધંધાથીઓ, નોકરીયાતો તથા નાનામોટા પરચુરણ કામ કરતા શ્રમજીવઓને રાજકોટ જવા માટે નાછુટકે પ્રાઇવેટ વાહનો અથવા અન્ય એકસપ્રેસ બસમાં જવું પડે છે. આ પહેલા પણ આ બાબતે લાગતા વળગતાઓને રજુઆત કરવામાં આવેલ છે પણ પ્રશ્નનો ઉકેલ આવેલ ન હોય બહોળા મુસાફર વર્ગના હિત ખાતર સત્વરે નિર્ણય કરીને પ્રથમ નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરે અને મુશ્કેલીવાળા લોકોને રાહત મળે તેમ કરવા અથવા અમુક બસો સિધી જ નવા બસ સ્ટેશનેથી રાજકોટ માટે ઉપાડવામાં આવે તે અંગે ઘટતુ કરવા સીનીયર સીટીઝન સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂએ ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરેલ છે.






Latest News