તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી


SHARE











ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી જેથી તેને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તેને તજવીજ હાથ ધરી છે

મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ નજીક અનસ હોટલની બાજુમાં આજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળી હતી અને તેના મૃતદેહને ઇરફાનભાઈ ઇસ્માઇલભાઇ રહે. ટંકારા વાળા સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃત્યુ પામેલા વૃદ્ધની ઓળખ મેળવવા માટે થઈને ટંકારા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે 

મહિલા મળી આવી

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મનસુખભાઇ બાબુભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૩૨)એ ગત તા. ૨૮/૫/૨૦૨૦ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની નિમુબેન મનસુખભાઈ ડાભી (૩૦) ગુમ થઇ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ મહિલા મળી આવી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નિમુબેનને તેનો પતિ મનસુખભાઈ માનસિક ત્રાસ આપતો હતો જેથી કંટાળી ગયેલા નીમુબેન ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા અને રખડતું ભટકતું જીવન જીવતા હતા અને ત્યાર બાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ પોતાના માવતરે નવા ઝીંઝુડા સોલંકી નગર ગામે જતા રહ્યા હતા અને તેણે કઈ તા. ૩૦/૪/૨૦૨૧ ના રોજ પોતાના મનસુખભાઈ બાલુભાઈ ડાભી સાથે છૂટાછેડા લઈ લીધા છે અને ત્યારબાદ સાકરીયા ગામે રહેતા રોહિતભાઈ સવધાનભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે






Latest News