મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસે સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના નીચી માંડલ ગામ પાસે સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત

મોરબી-હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેના સિરામિક યુનિટમાં રહીને મજુરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના પરિવારનો પાંચ વર્ષનો બાળક સીડી ઉપરથી રમતા રમતા પડી ગયો હતો જેથી તેને મોરબીની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ હાઇવે ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસેના સોનેક્ષ સિરામિકમાં રહીને ત્યાં મજુરી કામ કરતા પરિવારનો કરણ રામસ્વરૂપભાઇ સર નામનો પાંચ વર્ષનો બાળક ગત તા.૧૪-૫ ના બપોરના બે વાગ્યાના અરસામાં રમતા-રમતા સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં કરણને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન કરણ રામસ્વરૂપ નામના પાંચ વર્ષના મજુર પરીવારમા બાળકનું મોત નીપજયું હતું.બનાવને પગલે હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જીગ્નાસાબેન કણસાગરાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૩-૪ વચ્ચે રહેતા નરશીભાઈ ઉકાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૩૫) અને રાધીબેન નરશીભાઈ વાઘેલા (૩૫) ને ઘર પાસ થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુના રાયસંગપર ગામના રહેવાસી શંકરભાઈ મુમાભાઈ ગેડાણી નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદ-રાયસંગરર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતાં તેણે બાઈક ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સહિત તે નીચે પટકાતા શંકરભાઈ ગેડાણી નામના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

માળીયા મિંયાણા તાલુકાના નવાગામનો રહેવાસી દોસમામદ મુસાભાઇ જેડા મિંયાણા નામનો ૩૨ વર્ષીય યુવાન મોરબીના દલવાડી સર્કલ કંડલા બાયપાસ ઉપરથી વાહનમાં જતો હતો ત્યારે તે વાહનમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News