મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબીના જેપુર ગામે મનસુખભાઈ જેરામભાઈના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ મોહનભાઈ ખરાડિયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) એ ડમ્પર નંબર જીજે ૯ ઝેડ ૬૬૧૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ પારસ મોહનભાઈ ખરાડિયા (ઉંમર ૩૦) પોતાનું બાઇક નંબર જીજે ૬ એકે ૫૯૭૮ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી પારસને શરીરે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધનું મોત

વાંકાનેરના દીવાનપરા વિસ્તારની અંદર રહેતા મનુભા હેમંતસંગ જાડેજા (ઉમર ૭૨)ને ફેફસાના કેન્સરની બીમારી હોય રાત્રી દરમિયાન સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હોવાથી તેઓના પાડોશી મેહુલભાઈ પનારા રહે. દીવાનપરા વાળા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને ગયા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News