હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબીના જેપુર ગામે મનસુખભાઈ જેરામભાઈના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ મોહનભાઈ ખરાડિયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) એ ડમ્પર નંબર જીજે ૯ ઝેડ ૬૬૧૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ પારસ મોહનભાઈ ખરાડિયા (ઉંમર ૩૦) પોતાનું બાઇક નંબર જીજે ૬ એકે ૫૯૭૮ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી પારસને શરીરે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધનું મોત

વાંકાનેરના દીવાનપરા વિસ્તારની અંદર રહેતા મનુભા હેમંતસંગ જાડેજા (ઉમર ૭૨)ને ફેફસાના કેન્સરની બીમારી હોય રાત્રી દરમિયાન સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હોવાથી તેઓના પાડોશી મેહુલભાઈ પનારા રહે. દીવાનપરા વાળા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને ગયા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News