મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબીના જેપુર ગામે મનસુખભાઈ જેરામભાઈના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ મોહનભાઈ ખરાડિયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) એ ડમ્પર નંબર જીજે ૯ ઝેડ ૬૬૧૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ પારસ મોહનભાઈ ખરાડિયા (ઉંમર ૩૦) પોતાનું બાઇક નંબર જીજે ૬ એકે ૫૯૭૮ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી પારસને શરીરે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધનું મોત

વાંકાનેરના દીવાનપરા વિસ્તારની અંદર રહેતા મનુભા હેમંતસંગ જાડેજા (ઉમર ૭૨)ને ફેફસાના કેન્સરની બીમારી હોય રાત્રી દરમિયાન સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હોવાથી તેઓના પાડોશી મેહુલભાઈ પનારા રહે. દીવાનપરા વાળા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને ગયા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News