મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

વૈશ્વાનર વિભુ જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા.૨૬ મી એપ્રિલના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો હોંશભેર ઉજવશે.શ્રી મહાપ્રભુજીએ વિશ્વને વૈષ્ણવતાની દીક્ષા આપી બ્રહ્મ સાથે સંબંધ બંધાવી જગતને શ્રીકૃષ્ણ શરણં મમઃ નો અદભુત મંત્ર આપી વિશ્વને સેવા અને સ્મરણના પુષ્ટિપંથ પર વિહરતુ કર્યુ છે.પ્રતિવર્ષની પરંપરા અનુસાર મોરબીમાં શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાંના એક મયુરપૂરી મોરબીના બેઠકજીમાં હષોલ્લાસપૂર્વક આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.તે નિમિત્તે મોરબી મહાપ્રભુજીની બેઠક માં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ વાગ્યાથી મધ્યાહન ૧ વાગ્યા સુધી થશે.જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગળાદર્શન સવારે ૭:૩૦ કલાકે, શ્રીંગાર દર્શન સવારે ૮ કલાકે, રાજભોગ દર્શન બપોરે ૧ કલાકે, તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૩ કલાકે થશે, સાંજના દર્શન ૭ કલાક સુધી થશે તેમ જણાવીને બેઠકજીના ટ્રસ્ટી અને મોરબી વૈષ્ણવ સમાજના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે વૈષ્ણવ સમાજને મહોત્સવમાં જોડાવા અનુરોધ કરેલ છે.






Latest News