જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે રહેણાંક મકાનમાંથી ૫૭ બોટલ દારૂ પકડાયો


SHARE











મોરબીના બાદનપર ગામે રહેણાંક મકાનમાંથી ૫૭ બોટલ દારૂ પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે તાલુકાના બાદનપર ગામે રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી પોલીસને ૫૭ બોટલ દારૂ મળી આવતા પોલીસે ઘરધણીની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ, જયદેવસિંહ ઝાલા, પંકજ ગુઢડા, જયદીપ પટેલ, નંદલાલ મકવાણા અને આર.બી.વ્યાસ સહિતનાઓ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાદનપર ગામે રેડ કરી હતી ત્યારે વિમલ મુળજી કટેસીયા નામના ઇસમના રહેણાંક મકાનમાં સર્ચ કરવામાં આવતા ત્યાંથી પોલીસને ૫૭ બોટલ વિદેશી દારૂ મળી આવતા હાલ રૂા.૨૮,૭૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને પ્રોહીબીશન(દારૂ) અંગે વિમલ મૂળજી કટેશીયા વિરુદ્ધ ગુનો નોંધીને તે આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્રારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ઈસ્માઈલભાઈ નામના ૭૦ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમના રહેણાંક વિસ્તાર નજીક બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી ઝુબેદાબેનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં ઘર પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજાઓ થતા તેમને પણ સારવારમાં મોરબી ખસેડાયા હતા.તેમજ મોરબીના નવલખી ફાટક પાસે ભુચરમી વાડી નજીક રહેતા જીગર જયેશભાઈ ડાભી નામના છ વર્ષીય બાળકને વિંછીએ ડંખ મારતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અરિહંત સોસાયટી વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કાર્તિકસિંહ કપિલસિંહ જાડેજા (૨૮) અને કપિલસિંહ નવલસિંહ જાડેજા (૬૫) ને તેમજ સામેના પક્ષના કલ્પેશભાઇ કરસનભાઈ ખાંભલીયા (૩) અને ભગવતીબેન કલ્પેશભાઈ (૩૭) ને ઈજાઓ પહોંચતા ચારેયને સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે કલ્પેશભાઈ કાર લઈને નીકળ્યા ત્યારે કપીલસિંહના ઘર પાસે શેરીમાં એક્ટિવા પડ્યુ હોય તે સાઈડમાં લેવા માટે જણાવ્યું હતું તે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઇ હતી.






Latest News