મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ


SHARE











વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ

મોરબી જિલ્લાના લોકો માટે વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ માંગ કરી છે અને તેની લેખિત રજૂઆત વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને કરવામાં આવી છે જો આ સુવિધ આપવામાં આવે તો પેસેન્જરને ઘણો ફાયદો થાય તેમ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને લેખતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે,મોરબી જીલ્લાને રેલ્વે સુવિધામાં ખુબજ અન્યાય થઇ રહ્યો છે. મોરબીને લાંબા અંતરની ટ્રેઇનો આપવામાં આવેલ નથી અને ફક્ત એક કે બે ટ્રેઇનોને બાદ કરતા વધી જ ટ્રેન વાંકાનેરથી પકડવી પડતી હોય છે પરંતુ લાંબા અંતરની ઘણી બધી ટ્રેઇનોનો વાંકાનેરમાં સ્ટોપ આપવામાં આવેલો નથી તેમાં પણ વીકલી તો ઘણી ટ્રેઇનો છે પરંતુ તેનો સ્ટોપ વાંકાનેરમાં નથી. 

મોરબી એક સીરામિક ઉદ્યોગ નું  ભારત નું સૌથી મોટું ઉત્પાદક સેન્ટર છે. એટલે અન્ય રાજ્યો માંથી ઘણા વેપારીઓ તેમજ સીરામિકમાં રોજીરોટી રળતા મજુરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. મોરબીના વેપારીઓ અને સેલ્સમેનો પણ પોતાના વ્યાપાર અર્થે અન્ય રાજ્યોમાં જવા માટે ટ્રેઇનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓને વાંકાનેરને બદલે રાજકોટ આવવું જવું પડતું હોય છે. અને વાંકાનેર મોરબીથી ૨૮ કિમી થાય છે. જયારે રાજકોટ ૬૫ કિમી થાય છે. આમાં નાણાં અને સમયનો પણ બગાડ થાય છે. માટે વાંકાનેરમાં બધી જ ટ્રેઇનોને સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે અને મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનના ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પાછો ખેચવાની માંગ કરી છે






Latest News