મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે


SHARE











મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે

તા.૧૭ એપ્રિલ એટલે વિશ્વ હિમોફિલિયા દિવસ.હિમોફિલિયાએ લોહીનો વંશ-વારસાગત રોગ છે.તેનાંથી ડરવાની નહી પણ સંભાળવાની જરૂર છે.તેના અનુસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ હોય તેમાં ભાગ લેવા અપીલ કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારાં તા.૧૭ એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ કેજે વિશ્વભરમાં હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં લોક જાગૃતિ જગાડવાનાં હેતુથી મનાવવામાં આવે છે તે નિમિતે સ્પર્ધાનું આયોજન  કરાયેલ છે.હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્ત ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે.જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે.આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો એ માટે જાગૃતિ લાવવા  વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘરબેઠાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નના જવાબનો વિડીયો બનાવવાના રહેશે.કટેગરી-૧ (ધો.૧ થી ૪) પ્રશ્ન આપણાં લોહીનો રંગ કેવો હોય છે.ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહી નીકળવા માંડે તો તમે શું કરશો ? કેટેગરી-૨ (ધો.૫ થી ૮) પ્રશ્ન રંગસૂત્રો એટલે શું ? ગંભીર ઈજાઓમાં તાત્કાલિક સારવાર આપવા તમે શું શું કરો ? કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) પ્રશ્ન માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ? હિમોફિલિયાના દર્દીને કઈકઈ સારવાર ન કરવી જોઈએ.કેટેગરી-૪ કોલેજનાં વિધાર્થીઑ,શિક્ષકમિત્રો.તથાવાલીઓ માટે પ્રશ્ન હિમોફિલિયા રોગ લોહીનો વંશવારસાગત રોગ છે.તેની સારસંભાળ તથા રોકવાનાં ઉપાય સમજાવો.આ અંગેના વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર છેલ્લી તા.૧૭-૪ રાત્રીના નવ વાગ્યા પહેલા મોકલી આપવાના રહેશે






Latest News