મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો


SHARE











હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં યુવાનના કાકાએ કરેલી ફરિયાદ બાબતે તેમજ દસ લાખ રૂપિયા આપીને સમાધાન કરવા બે શ્ખ્સોએ કહ્યું હતું ત્યારે યુવાને સમાધાન કરવાની ના પાડતાં બંને શખ્સોએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા બીજા વ્યક્તિને પણ ગાળો આપીને મારવામાં આવ્યો હતો અને બંનેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની સોનીવાડમાં રહેતા નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ જાતે જૈન વાણીયા (૨૬) એ હાલમાં જનક પ્રભુભાઈ રબારી અને જયદીપ રબારી રહે. બંને બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે લક્ષ્મી નારાયણ ચોકમાં મંદિર પાસે હતો ત્યારે બંને શખ્સોએ તેના કાકા હિતેશભાઈ હિંમતલાલે તે બંનેની સામે કરેલી ફરિયાદ બાબતે તથા રૂપિયા ૧૦ લાખ આપીને સમાધાન કરવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને સમાધાન કરવાની ના પાડતાં આરોપી જનક રબારીએ ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જયદીપએ ફરિયાદી નિકુંજભાઈ તેમજ તેની સાથે રહેલા ભાર્ગવભાઈને ગાળો બોલીને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા નિકુંજભાઈએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જનક રબારી અને જયદીપ રબારીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News