હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા


SHARE











મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા

કાગવડ ખોડલધામ ખાતે  સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનોકાર્યકર્તાઓ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી ૮૦ જેટલા દલિત સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયામોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમારમોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણામોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમારપૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણરવજીભાઈ સોલંકીજગદીશભાઈ મુછડીયાવિનુભાઈ પરમારભૂપત મામાંવિનોદ ચૌહાણકિશોર ઉભડિયાપ્રેમજી બાપા સહિતના આગેવાનો  નરેશભાઇ પટેલને રૂબરૂ મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી દલિત સમાજની આવી અપીલથી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






Latest News