મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાશે


SHARE











મોરબીમાં ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ દ્વારાં આગામી તા.૭ એપ્રીલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેસ છે જેનો હેતુ રાષ્ટ્રનાં લોકો તંદુરસ્ત જીવન જીવે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવો છે.આપણાં શરીરની આજુ બાજુ કરોડો બેકટેરીયા ઉપલબ્ધ હોય છે.રોગ પ્રતિકારક શક્તિ આપણાં શરીરને આવા ખતરનાક બેકટેરીયા સામે રક્ષણ આપે છે.આપણાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ લડાકુ ફાયઈટર જેવી હોયછે. રોગપ્રતિકારક શક્તિ એટલે આપણાં શરીરમાં ચોક્કસ એન્ટીબોડીઝ અથવા સંવેદનાત્મક સફેદ રક્ત કોશિકાઓની ક્રિયા દ્વારાં ચોક્કસ ચેપ અથવા ઝેરને રોકવા માટે જીવતંત્રની ક્ષમતા એટલે ઈમ્યુનીટી રોગપ્રતિકારક શક્તિ.આપણાં  સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર,વ્યાયામ, સમયસર યોગ્ય તપાસ સારવાર, તનાવમુક્ત જીવન સાથે પુરતી ઊંઘ લેવી જોઈએ.આરોગ્ય સબંધી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં યોગ્ય જવાબનો વિડીયો બનાવીને મોકલી આપવાનો રહેશે.

કેટેગરી 1 (ધો. 1,2,3,4) માટે પ્રશ્ન તમે તમારાં આરોગ્યની જાળવણી કઈ રીતે કરશો?, કેટેગરી 2 (ધો. 5,6,7,8) માટે પ્રશ્ન આપણું આરોગ્ય જાળવવા કેવો ખોરાક લેવો જોઈએ ?, કેટેગરી 3 (ધો. 9,10,11,12) માટે પ્રશ્ન વ્યક્તિમાં રોગ- પ્રતિકારક શક્તિ વધારવા શું શું  ઉપાયો કરવાં જોઈએ ?, કેટેગરી 4 (કોલેજનાં વિધાર્થીઑ, શિક્ષક મિત્રો તથા વાલીઓ) માટે પ્રશ્ન કોઈપણ એક રોગનાં લક્ષણો જણાવો.તે રોગથી બચવા શું શું કરવું જોઈએ ?ઉપરોક્ત  પ્રશ્નોનાં  યોગ્ય જવાબનો વિડીયો બનાવી તા.૭-૪ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ  ભટ્ટ (મો.97279 86386) કોઈપણ એક મોબાઈલ નંબર પર મોકલી આપવાનો રહેશે. 






Latest News