હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો દેશને સક્ષમ ભારત બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી


SHARE











મોરબીના ઉદ્યોગકારો દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી

રશીયા ખાતે મોસબીલ્ડ એકસીબીશનમા મોરબીના ઉધોગકારો દ્વારા પ્રદર્શનમા ભાગ લેવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ ભારતીય દુતાવાસ દ્વારા ઉધોગકારોને રાત્રીભોજન માટે આમંત્રીત પણ કરવામાં આવ્યા હતા. એકસીબીસનનુ ઉદ્દઘાટન પણ ભારતીય રાજદુત મહામહીમ પવનકપુર દ્વારા કરવામાં આવ્યુ હતુ.આજે રસીયા-યુક્રેન યુદ્ધના માહોલમાં પણ મોરબીના સાહશીક ઉધોગકારોએ રશીયામા પોતાની પ્રોડકટનુ પ્રદર્શન કરીને નૈતિક હિંમતના દર્શન કરાવ્યા હતા.અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વની જુદીજુદી જગ્યાઓમાં જઈને મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોની જેમ જ આજે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેવા સમયે પણ મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ રસીયાના માર્કેટમાં યોજાયેલ એકઝીબીશનમાં મૂકીને પોતાના દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે મોરબીના ઉદ્યોગકારો પાછીપાની કરતા નથી તે હકીકત છે.






Latest News