હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક


SHARE











મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક

જયપુર(રાજસ્થાન) માં ગત તા.૨૭ માર્ચના  આરએસી કલબમાં દિવ્યાંગજનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભાશાળી દિવ્યાંગો માટે એવોર્ડનો કાર્યક્રમ યોજાયો  હતો. મોરબીથી મનોદિવ્યાંગ જય ઓરિયા ઉપસ્થિત રહેલ.જે બદલ તેમનું સન્માન થયેલ.રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગજનોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગ ને સ્થાન  આપવામાં આવ્યું છે.

મોરબીના જય ઓરિયાને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.મોરબીમાં જન્મેલ જય ઓરિયાને જન્મ સમયે ૯૦ ટકા  ડાઉન સિન્ડ્રોન(મંદબુદ્ધિ) ની સ્થિતી હતી.પરંતુ માનવતાવાદી ડોકટરોની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમથી સમયસરનું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિકશક્તિઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે. દિવ્યાંગ બાળકને પણ શરૂઆતનાં તબક્કાથી જ એક્ટિવિટી કરવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવારનો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળકની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાનનું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં.






Latest News