મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે


SHARE











મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા ચૈત્ર સુદ-૨ ને તા.૩-૪ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે.જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજાનો મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરીયેલ છેે.જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.૨ ને શનિવારના રોજ વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર તેમજ નિયામક આયુષ કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ કેમ્પનું આગામી તા.૨ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન ઈયોજન કરાયુ છે.કેમ્પ ઉમેદચંદભાઇ તથા કસુંબાબેન મહેતા પુસ્તકાલય, બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર ખાતે યોજાનાર છે.તેમાં વિવિધ રોગોના ઉપચાર સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.નામ નોંધાવવા જરૂરી છે અને નામ નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News