મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે


SHARE







મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા ચૈત્ર સુદ-૨ ને તા.૩-૪ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે.જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજાનો મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરીયેલ છેે.જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.૨ ને શનિવારના રોજ વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર તેમજ નિયામક આયુષ કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ કેમ્પનું આગામી તા.૨ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન ઈયોજન કરાયુ છે.કેમ્પ ઉમેદચંદભાઇ તથા કસુંબાબેન મહેતા પુસ્તકાલય, બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર ખાતે યોજાનાર છે.તેમાં વિવિધ રોગોના ઉપચાર સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.નામ નોંધાવવા જરૂરી છે અને નામ નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News