મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે


SHARE











મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે આગામી તા.૨૬-૩ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે પ્રાકૃતિક ખેતી શિબિરનું  GNFC કંપનીના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કંડલા બાયપાસ રોડ ,જૂની આરટીઓ કચેરી સામે, મેલડી માતાજી મંદિરના રસ્તે, મોરબી ખાતે યોજાનાર શિબિરમાં ભાગ લેવા મો.૯૪૨૬૭ ૮૪૬૨૮ ઉપર નામ નોંધાવવા યાદીમાં જણાવાયેલ છે.શિબિરમાં આવવા ઈચ્છતા ખેડુત મિત્રો નામ લખાવવા જણાવવામાં આવેલ છે.દાજીબાપુ તથા અન્ય વક્તાઓ શિબિરમાં માર્ગદર્શન માટે આવનાર છે.કોઈ ખેડુતમિત્રો પાસે ઓર્ગેનિક ઉત્પાદન હોય તો નાનું પેકિંગ શિબિરમાં પ્રદર્શન માટે સાથે લઇને આવવુ તેમ યાદીમાં જણાવાયેલ છે.

વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે

તા.૨૭ માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ  દિવસની આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ઉજવણી કરાશે."દુનિયા એક રંગમંચ છે અને કલાકાર બનતા નથીજન્મે છે". નાં  અનુસંધાને તમારી પસંદગીનું એકોક્તિ અભિનય કે ગૃપ નાટક ઘર બેઠાં ભજવીને તેનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયેલ છે.આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી કે જે વી.સી.હાઈસ્કૂલ ખાતે  કાર્યરત છે.તેના દ્રારા આગામી તા.૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અનુસંધાને એક દિવસીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.એકોક્તિ અભિનય કે સમુહ (પાંચથી વધુ નહિ) ગૃપ નાટક ભજવી શકાશે.આજના ઝડપી મનોરંજન યુગમાં નાટક અને ભવાઈ કલા અંતિમ શ્વાસ લઈ રહી છે.એક દિવસીય નાટ્ય મહોત્સવમાં વિષય શૈક્ષણિક કે વૈજ્ઞાનિક ક્રાન્તી લાવવા એકોક્તિ કે ગૃપ નાટક ભજવી શકાશે.નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ બનાવેલ વિડીયો તા.૨૭ ના રાતના નવ વાગ્યા સુધીમાં મોબાઇલ નંબર 98249 12230, 87801 27202 અથવા 97279 86386 પૈકી કોઇ એક નંબર ઉપર મોકલી આપવો તેમ સંચાલક એલ. એમ. ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે જણાવ્યું છે.






Latest News