હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા


SHARE











ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર હિત, શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે.આ સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકો માટેના પ્રશ્નો, સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત માટે ગયા હતા.જેમા દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ), હિતેશભાઈ ગોપાણી (સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી), હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા (ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) સહીતની ટિમ ગાંધીનગર પહોંચી હતી.જોકે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી હતી.તેમજ શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ પણ કરી હતી.આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા.જેના બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.






Latest News