મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા


SHARE











ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર હિત, શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે.આ સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકો માટેના પ્રશ્નો, સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત માટે ગયા હતા.જેમા દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ), હિતેશભાઈ ગોપાણી (સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી), હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા (ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) સહીતની ટિમ ગાંધીનગર પહોંચી હતી.જોકે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી હતી.તેમજ શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ પણ કરી હતી.આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા.જેના બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.






Latest News