મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા(મિં) માં દારૂના અનેક ગુનામાં પકડાયેલા ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE













માળીયા(મિં) માં દારૂના અનેક ગુનામાં પકડાયેલા ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકા વિસ્તારમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલા ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે અંગે પાસાનું વોરંટ નીકળતાં તેને પકડીને માળીયા પોલીસે અમદાવાદ જેલ હવાલે કર્યો છે.

મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ માથાભારે ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય ડીવાયએસપી અતુલકુમારના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ સ્ટેશનના ુીએસઆઇ બી.ડી.જાડેજા તેમજ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અગાઉ અનેક વખત દારૂના ગુન્હામાં પકડાયેલા જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા દરબાર (ઉ.વ.૪૮) રહે.વિવેકાનંદનગર મોટા દહીંસરા તા.માળીયા(મિં) જી.મોરબી સામે પાસા પ્રપોઝલ તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સનક્ષ મુકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટએ મંજુર કરીને જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા દરબારની પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા તેને શોધીને તેની પાસા તળે અટકાયત કરી હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ બોન્જા સીરામીક પાસે રહેતો વિશાલસિંહ રવીન્દ્રસિંહ રાજપૂત નામનો ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન આઇસર લઈને માલ ઉતારવા માટે લાલપર નજીક આવ્યો હતો.આઇસરમાંથી માલ ખાલી કરીને તે પરત જતો હતો તે સમયે આઇસરની ટ્રેઇલર સાથે અથડામણ થતાં ઇજાગ્રસ્ત થયેલા વિશાલસિંહને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે ડાઢાની વાડીમાં રહેતો પુનિત ભરતભાઈ હડીયલ નામનો ૧૩ વર્ષીય સગીરવયનો બાળક પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માતે વાહનમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત પુનીતને સારવાર માટે અત્રેની મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો






Latest News