મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા


SHARE







મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સેન્ટોસા સીરામીક નજીકથી યુવાનની લાશ મળી આવી હતી.માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવી હોય મૃતકના ભાઇ દ્વારા મૃતકના ડેડબોડીને રાજકોટ ખાતે લઇ જઇને ત્યાં પીએમ કરાવવામાં આવ્યું હતું અને ત્યાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું હાલ મૃતકના ભાઈએ બે શકદાર સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.મૃતકે શકદાર એવા બે ઈસમો પાસેથી પૈસા લેવાના હોય અને પૈસા આપવાનું કહીને ફોન કરીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઉપરોકત બનાવ સંદર્ભે મૃતકના ભાઇ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ જાતે ભરવાડ (ઉ.વ.૨૪) ધંધો મજુરી હાલ રહે.રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ઢુવા ગામે સેન્ટોસા સિરામિકના પાછળના ભાગેથી માથામાં ગંભીર ઈજા થયેલ હાલતમાં તેમના નાના ભાઈ મદનપાલ કુંજબીહારી પાલ (ઉ.વ.૨૦) હાલ રહે.મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં તા.મોરબી મૂળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશની ડેડબોડી મળી આવી હતી અને મોત શંકાસ્પદ જણાતા તેના મૃતદેહને રાજકોટ ખાતે પીએમ કરવામાં આવતા માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા નિપજાવવામાં આવી હોય તેવો ખુલાસો થયો હતો હાલમાં મૃતક મદનકુમાર કુંજબીહારી પાલના મોટા ભાઇ પુષ્પેન્દ્રકુમાર પાલે વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે શકદાર તરીકે રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીઝાઇન કારખાનુ માટેલ રોડ મોરબી તેમજ અશ્વીન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર મોરબી સામે ફરીયાદ નોંધાવેલ છે.જેમા જણાવ્યા પ્રમાણે મૃતક મદનપાલ કુંજબીહારી વાળો ઉરરકોત બન્ને શકદારો પાસે પૈસા માંગતો હોય જે પૈસા આપવા ન પડે તે માટે રાઘવેન્દ્રએ મરણ જનાર મદનપાલને ફોન કરી પૈસા લેવા માટે બોલાવી બન્ને શકદારોએ અકેબીજાની મદદગારી કરીને મદનપાલની માથામાં બોથડ પદાર્થ ઝીંકી દઇને હત્યા નિપજાવી હોય હાલ કલમ ૩૦૨, ૧૧૪ હેઠળ રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત અને અશ્વીન ઉદાભાઇ પગી સામે ગુનો નોંધીને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંન્શલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ પી.જી.પનારાએ આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News