મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી પરણિતાના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા કારખાનામાં હતી ત્યારે તેની આરોપીએ છેડતી કરી હતી અને તેણીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી પરણિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતી પરિણીતા રફાળેશ્વર ગામ પાસે આવેલ નળિયાના કારખાનામાં હતી ત્યારે આરોપી લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મહીલાનું બાવડું પકડીને તેની છેડતી કરીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી કરીને મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.વધુમાં ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની છેડતી કરી હતી.હાલમાં આ ગુનામાં એસટીએસસી સેલના ડીવાયએસપી મુનાફખાન પઠાણ દ્વારા લખનસિંહ પ્રવિણસિંહ ઝાલા જાતે દરબાર (ઉમર ૩૧) રહે.રફાળેશ્વર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માત અને મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કચ્છ જીલ્લાના મુન્દ્રાના રહેવાસી ચંદ્રજીત રાજેશ્વર પાલ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ધીરૂ વીરાભાઇ બાવાજી (૪૫) અને વિનું જોખમ ચાવડા (૨૬) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News