મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું


SHARE













માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું

જર, જમીન અને જોરુ છે કાઝીયના છોરું... આવી જ  એક ઘટના મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે બનેલ છે અને ત્યાં મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્ની વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઇનત અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં પોલીસે આરોપીએ કરેલા એક ફોનના આધારે હત્યાના કેસની ગુથી ઉકેલી નાખેલ છે

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદથી ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ હતો જો કે, તે પરિવાર કયાથી આવ્યો હતો અને કયા ગયો છે તેની કોઇની પાસે માહિતી ન હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને હાલમાં યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને એમપીના અલીરાજપુરમાંથી માળીયાની પોલીસ પકડીને લઈ આવી છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપી મૃતક રોહિતભાઈના કાકાના વાડામાં રહીને કામ કરતો હતો અને તેની પત્ની તેમજ સંતાનો પણ તેની સાથે જ રહેતા હતા જો કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપી અને મૃતક વચ્ચે માથાકૂટ થયેલ હતી અને ત્યારે આરોપી દિનેશે મૃતકને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા હતા અને બાદમાં છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ દિનેશ તેની પત્ની અને સંતાનોને લઈને ત્યથી નાશી ગયો હતો જો કે, તેને ગામના જ એક વ્યક્તિ મુકેશ બેચારભાઈ સુરેલાના ફોનમાંથી તેના સબંધીને ફોન કર્યો હતો જેથી તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા પ્રયત્ન શરૂ કરેલ હતા અને હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે

માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, આરોપી સુધી પહોચવા માટેની કોઈ કડી મળી રહી ન હતી ત્યારે આરોપી અગાઉ કરેલા એક ફોન કોલના નંબરના આધારે પોલીસે એમપી સુધી પહોચી ગયેલા આરોપી સુધી પહોચીને આરોપીને દબોચી લીધેલ છે જેથી કરીને હત્યાના આ બનાવનો તો ભેદ ઉકેલાઈ ગયો છે જો કે, મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે






Latest News