મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત


SHARE





મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત
મોરબીના રવાપર ગામેથી જડેશ્વર જતા રોડમાં ઘુનડા (સજનપર) ગામમાં નીકળતા બાયપાસ રોડના ડીમોલીશનની કામગીરીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.તેવી લેખીત ફરીયાદ માર્ગ અને મકાન વિભાગના એકઝીકયુટીવ એન્જીનીયરને કરવામાં આવેલ છે.

ટંકારાના ઘુનડા (સ.) ગામે રહેતા પ્રભુભાઈ વાલજીભાઈ રંગપડીયાએ લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે ઘુનડા ગામે ગામની વચ્ચેથી નીકળતા આ રોડને ગામમાંથી બાયપાસ કરીને ગામની બહારથી રોડ બનાવવો જોઇએ.તેમ કર્યુ નથી ઉપરથી હાલ ગામ વચ્ચેથી નીકળતા રોડના ડીમોલીશનની કામગીરીમાં પણ વહાલા દવસાની નિતીથી કામ કરવામાં આવી રહ્યુ છે.જેમાં પ્રથમ સર્વે મુજબ જે જગ્યાએથી સેન્ટર લાઈનની બંને બાજુએથી સરખા ભાગે ડીમોલીશન કરવાનું નકકી થયુ હતું તેને બદલે એક તરફ વધુ અને બીજી તરફ ઓછું ડીમોલીશન કરી આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.આ રજૂઆત છતાં જો એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી નહિં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ પ્રભુભાઇ દ્રારા ઉચ્ચારવામાં આવી છે.




Latest News