મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં


SHARE





મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં

મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેના માટે કુલ મળીને 33 ફોર્મ  ભરવામાં આવ્યા હતા જેમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 8 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી કરીને હવે માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે કુલ મળીને 33 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરાવામાં આવ્યા હતા. અને બુધવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની આખરી તારીખ હતી ત્યારે વેપારી પેનલમાંથી 1 અને ખેડૂતની પેનલમાંથી 7 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી હવે યાર્ડની 14 બેઠકો માટે કુલ મળીને 25 આગેવાનો મેદાનમાં છે અને આગામી તા 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે ઉલેખનીય છે કે, સહકર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલ આ ચુંટણીમાં આમને સામને છે. ઉલેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988. 1995, 2001 અને 2021 માં ચુંટણી યોજાઈ હતી અને હાલમાં વર્તમાન બોડીની મુદત પૂરી થયેલ છે જેથી કરીને ચૂંટણી યોજવા જય રહી છે, આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે અને આ યાર્ડમાં મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 મંડળીઓ અને 1668 મતદારો નોંધાયેલ છે. જો કે, હાલમાં ખેડૂતોનું જે મોરબી જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે તેની અસર યાર્ડની ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર હાલમાં રાજકીય પંડિતોની નજર મંડાયેલ છે.




Latest News