મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રપરાનો એક રસ્તો બંધ કરતાં બધા માર્ગો ઉપર ટ્રાફિકજામ !


SHARE











મોરબીમાં મહેન્દ્રપરાનો એક રસ્તો બંધ કરતાં બધા માર્ગો ઉપર ટ્રાફિકજામ !

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારની અંદર ઉભરાતી ગટરના પ્રશ્નને ઉકેલવા માટે પાલિકા દ્વારા હાલમાં પાઇપ નાખવાનું કામ કરવામાં આવી છે જેથી કરીને મોરબી શહેરની અંદર આવવા અને જવા માટેના વનવે રસ્તાને બંધ કરવામાં આવ્યો છે અને આ ટ્રાફિકને મોરબી શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં મોરબીના મોટાભાગના રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઊભરાવવાની સમસ્યા છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ચાર મહિના અહીંના લોકો ગટરના પાણીની વચ્ચે જ રહેતા હોય છે અને નાછૂટકે ગંદકીમાથી અવાર જવર કરવી પડે છે ત્યારે ગંદકીમાંથી છુટકારો મળે તે માટે વિધાનસભાની પેટા ચૂંટણી વખતે અહીના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા હતા અને આ સમયે તાત્કાલિક ભાજપના આગેવાનોએ સ્થળ ઉપર જઈને પ્રશ્ન ઉકેલવા માટેની ખાતરી આપી હતી

જોકે છેલ્લા થોડા દિવસોથી ફરી પાછો મહેન્દ્રપરા વિસ્તારમાં ગટર ઊભરાવવાનો પ્રશ્ન ઉભો થયો હતો અને ગટરના પાણી ભરાયા હતા જેથી હાલમાં કોન્ટ્રાક્ટરને કામ આપીને ગંદા પાણીનો નિકાલ કરવા માટે થઈને પાઈપલાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી તે રોડને બંધ કરવામાં આવેલ છે જેથી ગામમાં એસટીની બસો સહિતના વાહનોને પ્રવેશવા માટેના મુખ્ય માર્ગને બંધ કરવામાં આવતા હાલમાં એસટીની બસો સહિતના વાહનોને મોરબી શહેરના જુદા જુદા રસ્તા ઉપરથી ડાવર્ટ કરવામાં આવેલ છે જેના કારણે મોરબીના મોટાભાગના રસ્તાઓ ઉપર વહેલી સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી ટ્રાફિકજામ હતો અને આ ટ્રાફિકની સમસ્યા યથાવત હોવાની માહિતી મળી રહી છે






Latest News