મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ


SHARE







મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક મળી હતી અને શ્રી જોગધ્યાનપુરા આશ્રમ, થાનગઢ ખાતે યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં આશિષસિંહ અનોપસિંહ જાડેજા (મોરબી) વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સહ સંયોજક, તેજલબેન યશવંતભાઈ કંજારિયા વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા, પરેશભાઈ મુગટલાલ રાવલ (હળવદ પ્રખંડ)ને વિહિપ મોરબી જિલ્લા મંત્રી, દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ (મોરબી)ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા અને માનસીબેન જયેશભાઈ સોલંકી (ટંકારા પ્રખંડ) ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.






Latest News