મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે તાવાના પ્રસંગમાં સામસામી મારામારી, ફરીયાદ નોંધાઇ


SHARE











મોરબીના સામાકાંઠે તાવાના પ્રસંગમાં સામસામી મારામારી, ફરીયાદ નોંધાઇ

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં તાવાના પ્રસંગમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જૂની અદાવતમાં તેમજ સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ તરફથી સામસામે મારામારી થતા સામસામી ફરિયાદો નોંધાવા પામેલ છે.

હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અશોક સવજીભાઇ વરાણીયા કોળી (ઉમર ૫૨) રહે.મોરબી-૨ ત્રાજપરવાળાએ તે જ વિસ્તારમાં રહેતાં કલ્પેશ પ્રવીણ વરાણીયા કોળી, નિતીન પ્રવીણ વરાણીયા, શંકર પ્રવીણ વરાણીયા અને અક્ષય અશોક વરાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેમનો દીકરો રવિ સામાવાળાઓને ત્યાં તાવાની પ્રસાદી લેવા માટે ગયો હતો તે બાબતે સામાવાળાએ ફરિયાદીના પુત્ર રવિ તથા પોતાની સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના પુત્ર રવિને તથા પોતાને ગાળો આપીને મુઢમાર માર માર્યો હતો.જે અંગે ગુનો નોંધાતા હાલમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી નિતીન પ્રવીણભાઇ વરાણીયા જાતે કોળી (ઉમર ૨૪) રહે.ત્રાજપર શંકર મંદિરવાળી શેરી મોરબી-૨ વાળાએ ત્યાંના જ રહેવાસી રવિ અશોક વરાણીયા કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપી કૌટુંબિક ભાઇ થાય છે અને અગાઉ ફરિયાદીના ભાઈનું મોટરસાયકલ માંગીને લઇ ગયો હતો તે બાબતે જુની બોલાચાલી હતી અને હાલમાં સાહેદ કલ્પેશ પ્રવીણભાઈ સાથે જુની અદાવતના મુદ્દે ઝઘડો કરી ઝપાઝપી કર્યો બાદ મુઢ માર મારવામાં આવ્યો હતો તે અંગે પણ વળતી ફરિયાદ નોંધીને હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માટેલ ગામના રહેવાસી નારણભાઈ છગનભાઈ ચાવડા (૫૨) તેમના પત્ની વિજયાબેન નારણભાઈ (૪૮) અને પૌત્રી જીંકલની સાથે એકટીવામાં જતાં હતા ત્યારે રફાળેશ્વર નજીક અજાણ્યા વાહન સાથે તેઓનો અકસ્માત થતા નારણભાઈ અને વિજયાબેનને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલી સિલ્વરપાર્ક સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર નટુભાઈ સારેસા નામનો ૨૩ વર્ષીય યુવાન મોરબી નજીકના માંડલ ગામે વાડીએ હતો ત્યાં કોઈ જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે.






Latest News