મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત


SHARE







હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂરતી છે અને પથરાળ જમીન હોવાથી દફનવિધિ કરવી મુશ્કેલરૂપ બને છે જેથી ચરાડવા ગામના અનુ.જાતિ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે નવી જમીનની ફાળવણી કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી મહિલાઓ સહિત કુલ 100 જેટલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આજની તારીખે ચરાડવા ગામે અનુ. જાતિના આશરે 2500 જેટલા લોકોની વસ્તી છે જો કે, સ્મશાનમાં દફનવિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂર્તિ અને સંપૂર્ણ જમીન પથરાહોવાના કારણે તે દફનવિધિ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને સામાન્ય રીતે લોકો ખાડો ખોદીને દફનવિધિ કરી શકતા નથી તેઓને જેસીબી જેવા મશીનરીને બોલાવવી પડે છે જેનું આર્થિક ભારણ તે લોકો ઉપર આવેલ છે જેથી અનુ.જાતિ સમાજ માટે નવી જગ્યાએ સ્મશાનની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં રજૂઆત કરવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, સ્મશાન માટે અપૂરતી જમીન હોવાના કારણે કોઈ વ્યક્તિની દફનવિધિ કરવા માટે જાય છે ત્યારે ત્યાં ખાડો ખોદવામાં આવે તો અગાઉ જેની દફનવિધિ કરવામાં આવી હોય છે તેના અવશેષો ખોદકામ દરમિયાન બહાર નીકળી જતા હોય છે જેથી તેના પરિવારની લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે જેથી સ્મશાન માટે પૂરતી જમીન ફાળવવામાં આવે તે જરૂરી છે વધુમાં લોકોએ એવું પણ જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2016, 2018 અને 2024 માં નિયત નમૂનામાં સ્મશાન માટે વિવિધ અરજીઓ કરવામાં આવી હતી અને ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે “માંગણી વાળી જમીન રોડ ટચ હોવાથી ભવિષ્યમાં ત્યાં સરકારી કચેરી બનાવવા માટે જમીનને રિઝર્વમાં રાખવામાં આવેલ છે” પરંતુ અનુ. જાતિ દ્વારા સ્મશાનની જમીન માટે જે માંગણી કરાઇ છે તેને ધ્યાને લઈને અધિકારી દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી રજૂઆત કરવા આવેલા લોકોએ વ્યક્ત કરી હતી






Latest News