મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે


SHARE







મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ ખાતેથી તા. 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે મોરબીમાં રથયાત્રા નીકળશે.

મોરબીમાં શુક્રવારે જે રથયાત્રા નીકળશે તે મોર્ડન હોલથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને મોર્ડન હોલ ખાતે રથયાત્રાને પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ પર આરૂઢ થશે અને મોરબીવાસીઓને દર્શન આપશે. જેથી મોરબીવાસીઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. અને આ રથયાત્રા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા મોર્ડન હૉલ ખાતે કરવામાં આવી છે અને વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસ (7016707756)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.






Latest News