મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે


SHARE







મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ ખાતેથી તા. 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે મોરબીમાં રથયાત્રા નીકળશે.

મોરબીમાં શુક્રવારે જે રથયાત્રા નીકળશે તે મોર્ડન હોલથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને મોર્ડન હોલ ખાતે રથયાત્રાને પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ પર આરૂઢ થશે અને મોરબીવાસીઓને દર્શન આપશે. જેથી મોરબીવાસીઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. અને આ રથયાત્રા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા મોર્ડન હૉલ ખાતે કરવામાં આવી છે અને વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસ (7016707756)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.






Latest News