મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા


SHARE







મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા

મોરબીમાં ખાનગી વીજ કંપનીના પોલ સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં એમઆરસી કમિટીની રચના કરવાની છે તેને લઈને કલેક્ટર કચેરી ખાતે મંત્રીની હાજરીમાં ખેડૂત પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી તે પ્રકારના સમાચાર તંત્ર દ્વારા આપવામાં આવી હતા જેને લઈને જેતપર ગામેથી ખેડૂત આંદોલન સમિતિ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ખેડૂતો આજની તારીખે પણ પોતાની માંગણી ઉપર મક્કમ છે

મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિના સભ્ય નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે હાલમાં વીજ પોલ ઊભા કરી રહી છે તે ભવિષ્યમાં 183 ગીગા વોટ વીજળીનું ઉત્પાદન કરીને તેનું જુદાજુદા રાજ્યમાં વેચાણ કરીને નફો કરવા માંગે છે ત્યારે ખેડૂતોના ફળદ્રુપ ખેતરની અંદર વીજપોલ નાખીને ખેડૂતો તથા તેના પરિવારજનો અને પશુઓ ઉપર 25 વર્ષ સુધી જોખમ લટકતું રહેવાનું છે જેથી ખેડૂતોની માંગ મુજબ રાજ્ય સરકારે દરમિયાનગીરી કરીને ખેડૂતોને વળતર મળે તે માટેના પ્રયાસો કરવા જોઈએ જો કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓની સામે ગત તા. 4/7/26 ના રોજ નવી વળતર નીતિનો પરિપત્ર બહાર પાડ્યો હતો તેનો 365 જેટલી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે વિરોધ વ્યક્ત કરીને કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ખેડૂતોની માંગણી મુજબ તેઓને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે

જોકે સરકાર દ્વારા જે નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી મોરબી જીલ્લામાં આ કમિટી બનેલ નથી તેવામાં કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિ સાથે બેઠક કરવામાં આવી હોવાના તંત્રના સમાચારનું ખેડૂતોએ ખંડન કર્યું છે અને વધુમાં આક્રોશ સાથે કહ્યું છે કે, હાલમાં ગુજરાતમાં ચૂંટાયેલા ઘણા ખેડૂત નેતાઓ મૌન છે તેઓને આગામી સમયમાં જવાબ આપવામાં આવશે અને ગામડે ગામડે ખેડૂતો દ્વારા 144 લગાવીને પૂરી તાકાત સાથે વીજ લાઈનનો વિરોધ કરવામાં આવશે જોકે મોરબીમાં મંત્રીએ જે બેઠક કરી હતી તેમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો જ હજાર હતા અને તેવું જેતપર આંદોલન સમિતિએ જણાવ્યુ છે.






Latest News