મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર


SHARE







મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર

મોરબીના લાલપર ગામ નજીકથી વૃદ્ધ સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને કમર અને ગોળામાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ જવાર સોસાયટીમાં રહેતા મોહનભાઈ અજાભાઈ મકવાણા (65)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 27 વી 3779 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલ પંપ સામેની કટ પાસેથી પોતાનું સ્કૂટર નંબર જીજે 36 એએન 1537 લઈને લાલપર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી રોડ ઉપર નીચે ટકાતા તેને કમર તથા ગોળામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને શરીરે પણ ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સલીમઅહેમદ રફીકઅહેમદ (49) રહે હાલ નેપ્ચ્યુન ટ્રાન્સપોર્ટ ગાંધીધામ મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદના માલણીયાદ ગામે હસમુખભાઈ ની વાડીએ રહેતા લાલાભાઇ ઉદાભાઇ નાયક (45) નામનો યુવાન કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News