મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ


SHARE







મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ

જે રીતે ઓબીસી તેમજ અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મળે છે તે રીતે સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.

સરકાર દ્વારા પહેલા હાયરસેકન્ડરી, સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ, કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી.તો પહેલાની માફક બધા જ ને આ લાભ આપવામાં આવતો હતો તેવી જ રીતે હવેથી બધાને આ લાભ મળે તે માટે યોગ્ય આદેશો કરવાની રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.                                                        






Latest News