મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નિપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ડેમુ ટ્રેનની અડફેટે આવી જવાથી કપાઈ જતા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના રેલવે સ્ટેશન માસ્તર મનોજકુમાર બિંદેશ્વરપ્રસાદ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રેન હેઠળ કપાયા જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News