મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજયું હતું અને ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ માતાજીના મંદિર પાસે કૂવામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું છે.  

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ નિચીકેતા પ્રિન્ટ પેકેજીંગ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજીતકુમાર રામસુરત રાઇ (28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કારખાનેદાર અમિતભાઈ વાલમજીભાઈ ગામી (42એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

 મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય સામેના ભાગમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ કાળુભાઈ મૂછડિયા (40) ને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. તો ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા જુગ્નુ દિનેશભાઈ ગજેરા (26) નામનો યુવાન માનસિક અસ્થિર હોય મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર સામે આવેલ કુવામાં પડી ગયો હતો અને ત્યાં કુવાના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા દિનેશભાઈ મોહનભાઈ ગજેરા (52) રહે. મીતાણા પ્રભુનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.






Latest News