માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​ 


SHARE











મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ 

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટી ખાતે રહેતી શિક્ષિકાને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ન હોવાથી તેને પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી શિક્ષિકાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ૫ લોકોની  સામે ફરિયાદ નોંધાવેલ છે

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા પૂનમબેન બ્રિજેશભાથી ગોસ્વામી (43)એ હાલમાં તેના પતિ બ્રિજેશભાથી કિશોરભાથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભાથી ગોસ્વામી, સસરા કિશોરભાથી લાલભાથી ગોસ્વામી, જેઠ ધર્મેશભાથી કિશોરભાથી ગોસ્વામી તથા નણંદ નિરાલીબેન રિતેશપરી ગોસ્વામી રહે બધા શ્રીરામ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નજીવન દરમિયાન પતિ સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર ઘર કામ બાબતે તેમજ તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી તે બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુઃખ આપવામાં આવતું હતું જેથી શિક્ષિકાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News