મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

યોગનો પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE







યોગનો પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા

21 જૂન વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં મંત્રી તેમજ રાજકીય આગેવાનો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે યોગાભ્યાસ કર્યો હતો અને શરીરને નીરોગી રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12 વર્ષ પહેલા જે યોગનો પ્રચાર પસાર કરવા માટેનું કાર્ય કર્યું હતું તેના મીઠા પરિણામો આજે દરેક લોકોને મળી રહ્યા છે તેવી લાગણી રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વ્યક્ત કરી હતી.

મોરબીમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આ વર્ષે જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી તેમજ પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહનભાઇ કુંડારિયા તેમજ કલકેટર સ્વપ્નિલ ખરે સહિતના જિલ્લાના તમામ અધિકારીઓએ અને રાજકીય આગેવાનો તથા જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ સહિતના લોકો જોડાયા હતા અને પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સ્પીચને સહુ કોઈને સાંભળી હતી ત્યાર બાદ રાજ્યના મંત્રી સહિતના તમામ લોકોએ સાથે યોગાભ્યાસ કર્યો હતો. અને મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને રાજ્ય મંત્રીએ બિરદાવી હતી અને શરીર તથા મનને સ્વસ્થ રાખવા માટે અને રોગને દૂર રાખવા માટે નિયમિત રીતે યોગા કરવા જોઈએ તેવું મંત્રીએ જણાવ્યુ હતું. મોરબી જીલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ યોગાભ્યાસ માટેના કાર્યક્રમો જુદાજુદા સ્થળે રાખવામા આવ્યા હતા જેમાં મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે, ટંકારા તાલુકા અને નગરપાલિકાનો કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેહળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતેવાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો.






Latest News