મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીની પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ શાળા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તારીખ ૧૮ જૂન ૨૬ ના દિવસને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ઝાંસીની રાણીના બલિદાનને યાદ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા રાણી લક્ષ્મીબાઈની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

આ પ્રસંગે ધોરણ ૧૨ ની એક વિદ્યાર્થિની દ્વારા રાણી લક્ષ્મીબાઈના પ્રેરણાદાયી જીવન, તેમનો સંઘર્ષ અને દેશદાઝ વિશે ખૂબ જ સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તેના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈના સાહસિક જીવનથી અવગત કરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમની ભાવના જગાડવામાં આવી હતી.શાળા પરિવારે તેમજ આચાર્યએ જણાવ્યું હતું કે આવા દેશભક્તોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવીને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સાહસના ગુણો ખીલે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






Latest News