મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા


SHARE







રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા

સરકાર દ્વારા પ્રજાના હિત માટે ગ્રાહકોને તુરંત ન્યાય મળે તે હેતુથી ‘જાગો ગ્રાહક જાગો’નું કેમ્પેઇન ચલાવી ખૂબ જ તેમાં સારો પ્રતિસાદ મળતો રહ્યો અને ગ્રાહકો પણ જાગૃત બનવા લાગ્યા અને અન્યાય સામે લડાઇ માટે ગ્રાહક તકરાર નિવારણમાં લોકો જવા લાગ્યા અને ન્યાય પણ મળવા લાગ્યો છે.પરંતુ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદી હાલ વધારે હેરાન-પરેશાન થાય છે, આઠ-આઠ વર્ષ સુધી ચુકાદા આવતા નથી અને હવે તો તારીખો પણ છ-છ મહિનાની મુદ્ત આપવામાં આવે છે. 

સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ પ્રજાના હિતમાં બનાવવામાં આવેલ પણ અત્યારના સંજોગોમાં આ યોજના નિષ્ફળ જતી હોય તેવું દેખાય છે. ગુજરાતની ઘણ બધી ગ્રાહક અદાલતો પણ બંધ છે.સમગ્ર ગુજરાતમાં એક રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનના ન્યાયમૂર્તિ પાસે પાંચ-પાંચ જિલ્લાનો ચાર્જ હોવા છતાં પણ વ્યવસ્થિત ચુકાદાઓ અને સમયસર કેસ ચાલે છે. પરંતુ ગ્રાહકને અસંતોષ થાય અને સ્ટેટ કમીશનમાં જાય ત્યારે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં જાય છે. ત્યાં ન્યાય મળતા આઠ-આઠ વર્ષ થઇ જાય તો પણ ચુકાદો આવતો નથી અને છ-છ મહિનાની મુદ્ત આપવામાં આવે છે.

જો ખરેખર સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ યોજના સફળ બનાવવી હોય તો સ્ટાફની ભરતી કરવી અતિ જરૂરી છે. એક ન્યાયમૂર્તિ પાસે પાંચ-પાંચ જિલ્લાનો ચાર્જ હોય તેની જગ્યાએ દરેક જિલ્લાના સ્વતંત્ર ન્યાયમૂર્તિ હોય તો આ સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ યોજનાનો લાભ લોકોને મળી રહે. આ બાબતે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ વડાપ્રધાનને રજુઆત કરી છે






Latest News