મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગામ અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો  નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને બંને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી ફરિયાદીના ભાઈ અને દીકરાનું મોત નીપજયું હતું ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં ટંકારા પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતાં રાજકીય અને સામાજિક આગેવાનો ગઇકાલે હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને ટંકારાના નાના એવા મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર કરવામાં આવતા ચકચાર મચી ગયેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક જયપાલસિંહ ઝાલા હાલમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા અને તેઓની તથા તેના ભત્રીજાની છરીના ઘા ઝીકિને તેઓની જ વાડીએ હત્યા કરવામાં આવેલ છે.






Latest News