મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા


SHARE











ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગા અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ છે અને આ બનાવની જાણ થતા ટંકારા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને મૃતક વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે મૃતક વ્યક્તિઓના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ જમીન માપણી બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ત્યાર બાદ થયેલ માથાકૂટમાં જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (21)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી કરીને બંનેની મોત નીપજયું હતું અને જમીન માપણીનો વિવાદ બેવડી હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની જાણ થતાં ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને ગામમાં બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો. અને આ બનાવની જાણ થતાં ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે રાજકીય અને સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા. અને ટંકારા તાલુકાનાં નાના એવા મેઘપર ઝાલા ગામે કાકા અને ભત્રીજાનિ નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયેલ છે. અને આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે અને તેઓની વાડીની જમીનની માપણી કરવા માટે થઈને આવ્યા હતા ત્યારબાદ જમીનની માપણીનું કામ પૂરું કરીને ખુટા મારવામાં આવ્યા હતા જેથી કરીને જયપાલસિંહે પાડોશમાં ખેતર ધરાવતા ખેડૂતને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા બે સગા ભાઈ ત્યાં આવ્યા હતા અને તેઓ હથિયાર સાથે જ સ્થળ ઉપર આવેલ હતા અને જયપાલસિંહ અને તેના ભત્રીજાની સાથે બોલાચાલી ઝઘડો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જેથી જયપાલસિંહ અને તેના ભત્રીજાનું મોત નીપજ્યું છે






Latest News