સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન


SHARE





મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક પિતાએ પોતાના થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને સેવા સાથે જોડીને રક્તદાન કેમ્પ કર્યું હતું અને આ કેમ્પ આજે જ નહીં છેલ્લા 15 વર્ષથી તેઓના દ્વારા કરવામાં આવે છે અને તેમાં મોરબીના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરીને માનવતા મહેકાવવામાં આવે છે.


મોરબીમાં રહેતા વિક્રમભાઈ દફતરીના વ્હાલસોયા સ્વર્ગસ્થ દીકરા કાર્તિકને થેલેસેમીયાની બીમારી હતી અને તેનું અવસાન થયા બાદથી તેની યાદમાં દર વર્ષે તેઓ દ્વારા મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ3 છે. છેલ્લા પંદર વર્ષથી સતત ચાલતા આ સેવાયજ્ઞમાં માત્ર પરિવાર જ નહીં, પરંતુ મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સહિત બહારગામ વસતા તેમના મિત્રમંડળ પણ ઉત્સાહભેર જોડાયા હતા અને કુલ મળીને 76 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. આવા બાળકો માટે નિયમિત બ્લડની જરૂરિયાત જીવનરક્ષક બની રહે છે. ત્યારે વિક્રમભાઈ દફતરી દ્વારા કરવામાં આવતું આ આયોજન અનેક બાળકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. અને દફતરી પરિવારની આ અનોખી ભાવના અને માનવતા ભર્યું કાર્ય સમાજ માટે એક પ્રેરણારૂપ બની રહ્યું છે. કહેવામાં આવે છે કે સાચી શ્રદ્ધાંજલિ સેવા છે અને મોરબીના દફતરી પરિવારે આ વાતને સાબિત કરી બતાવી છે.




Latest News