વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ
SHARE
મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ
હાલમાં વસ્તી ગણતરી માર્ગદર્શિકા મુજબ એક ગણતરીદારને 200 થી 250 ઘર અને 700 થી 800 ની વસ્તી જ ફાળવવાના હોય છે પણ મોરબીમાં ગણતરીદારોને ખૂબ મોટો વિસ્તાર 600 ઘરો, 700 ઘરો ફાળવી દીધાં છે જેના કારણે વસ્તી ગણતરીનું કાર્ય અવરોધ રૂપ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
મોરબી શહેરી વિસ્તારમાં રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલની આજુબાજુ 562 જેટલા મકાનો બોરીયાપાટી લીલાપર કેનાલ વિસ્તાર, એસપી રોડના છેડાના ભાગથી મચ્છુ નદી સુધી લગભગ 1100 વિઘાનો એરિયા, ત્રાજપરનો વિસ્તાર, જવાહર ભડિયાદ વગેરે અનેક શહેરી વિસ્તારમાં બ્લોક વિભાજન માટેની અનેક અરજીઓ ગણતરીદારો તરફથી આવી રહી છે,વસ્તી ગણતરી જ્યાં સુધી આવા મોટા બ્લોકનું વિભાજન ન થાય ત્યાં સુધી જે તે ગણતરીદારને કામગીરી ક્યાંથી શરૂ કરવી ? નઝરી નકશો કેવી રીતે બનાવવો ? HLO હાઉસ લિસ્ટિંગ ઓપરેશન પોર્ટલમાં જે તે ગણતરીદારને ફાળવેલ બ્લોકમાં કેટલા જન ગણના ઘર છે એની સંખ્યા લખવાની હોય છે ત્યારબાદ જ પોર્ટલ પર આગળ કામ થઈ શકે છે તો ગણતરીદાર મુંઝાણા છે કે શું કરવું? વગેરે મુશ્કેલીઓ હોય ગ્રામ્ય વિસ્તારમાં મોટા બ્લોકનું વિભાજન કરી 72 જેટલા નવા બ્લોક બનાવી નવા ગણતરીદાર ફાળવ્યા હોય શહેરી વિસ્તારોમાં સત્વરે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ ઉઠી છે.