મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE











વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

દેશના વડાપ્રધાન રાજ્યના પનોતાપુત્ત નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે જેને અનુસંધાને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા શ્રી ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના સૌજન્યથી વૃક્ષારોપણ કરાયું હતું.

હાલના સમયમાં વૃક્ષોનું વાવેતર જરૂરી નહીં આવશ્યક બની ગયું છે. દર વર્ષે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેના કારણે પ્રજાજનોને તેમજ અબોલ પ્રાણીઓના જીવનું જોખમ વધી રહ્યું છે ત્યારે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તાલુકામાં વર્ષ દરમ્યાન વિવિધ સ્થળોએ વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરી ખરા અર્થમાં માનવજીવન તેમજ પશુ પંખીઓના જીવન માટે અનેરી સેવાયગ્ન કરી સમાજને પ્રેરણા પૂરી પાડે છે. વૃક્ષારોપણ પ્રસંગે કોળી સમાજના વરિષ્ઠ અગ્રણી પરસોત્તમભાઈ બાવરવા (ભુવા), ચતુરભાઈ મકવાણા, હરૂભા ઝાલા, રતીલાલ અણીયારીયા, બાબુભાઈ ઉઘરેજા, ક્રીપાલસિહ ઝાલા, ઈન્દુભા ઝાલા (તા.પં સદસ્ય), રમેશભાઈ સારલા (તા પં સદસ્ય), પ્રવિણભાઈ પંડ્યા, મુન્નાભાઈ હેરમા, હરેશભાઈ માણસુરીયા સહિતના હાજર રહ્યા હતા અને વેલનાથ ગૃપના સંજયભાઈ ચાવડા, રાકેશભાઈ બાવળીયા તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળની ટીમે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






Latest News